પૂજય કુળદેવી શ્રી શ્રીયલ માતાજીને નમતા સાવલા નુખના ભાવિકોની
****
જુઆર વિધિ
૧. નોરતા : દર વરસે ચૈત્ર મહિનામાં તથા આસો મહિનામાં નોરતા આવે છે ત્યારે માતાજીના વરસમાં બે વખત નોરતા કરાય છે જેમાં
અડધા કિલોનો શીરો અથવા લાપશીનો પ્રસાદ ચડાવવો
કાર્તિક પૂનમના કરતા પહેલા નોરતા કરવા જરૂરી છે.
જેપોતાના ઘરે પણ કરી શકાય. માતાજીના
વાર્ષિક
જુઆર
દિવાળી અથવા
૨. વાર્ષિક આર ઃ ૧ કિલો લાડવા, ૦| કિલો ખાજા, ૦|| કિલો શીરો અથવા લાપશી, ૦|| કિલો તલનો પીંઢો, ૦|| કિલો ઘઉં અથવા
જુઆરની ગોગરી. એક વરસની લાગત ૨૫ પૈસા પ્રમાણે મુકવી.
૩. લગનના જુઆર : લગ્ન પ્રસંગે માતાજીને દેશમાંથી પધારવા માટે અખંડ શ્રીફળ મુકવો (વધેરવા નહીં). માતાજીની ઝીણી (ખાંભો બાંધણી ચુંદડી નં. ૨, ગણેશજી માટે કેશરીઓ કાપડ નં. ૧, ખેતરપાળદાદા માટે સફેદ નં. ૧ અને ગાદી માટે લાલ કાપડ (
મીટરમાંથી બે ભાગ થઈ શકે) તથા સીધો લઈ જવું.
માતાજીને બેસાડતી વખતે ૧।કિલોનો શીરો કિલોનો તલપીંઢો તથા ગોગરી ચડાવવી.
લગ્નના જુઆર વાર્ષિક જુઆર પ્રમાણે કરવા.
માતાજીને પાછા દેશમાં સ્થાનકે પધરાવતી વખતે યથા શક્તિ મીઠાઈ મોકલવી.
૪. ચીર
૧
જુઆર પ્રથમ બાળકના ૧ાકિલો શીરો, ૧।કિલો તલપીંઢો ૧।કિલો ગોગરી તેમજ ઘી ૧૧ શેર (દેશી માપ) ગોળ ૧ા શેર દેશી માપ ઘી તથા ગોળની સાથે પાંચ વાટકી ભરવી ચાર વાટકી સરખા ભાગે ભરવી તથા એક માતાજીને ચડાવવા માટે સવાઈ ભાગની ભરવી
ચડાવ્યા પછી ચાર વાટકીનો ભાગ ભાઈઓના ઘરે મોકલી આપવા. શ્રીફળ નંગ બે ચડાવવા. (જ્યાં સુધી બાળકના
થાય ત્યાં સુધી જાધી (શીખા)રાખવી.
। ચીરજુઆર ન
પ્રથમ સંતાનના ચીરજુઆર થઈ ગયા પછી બીજા સંતાનના ચીરજુઆર ઉપર જણાવ્યા પ્રમાણેથી અડધા ભાગના કરવા. ચગ ઉતારી માતાજીના પાલખમાં મુકી પછી બાળકને પગે લગાડવો. ચીરજુઆર થયા પછી જ બાળકના વાળ ઉતારવા.
૫. મુંડણના જુઆર : પ્રથમ પુત્રની મંડણ વિધી કરવી. બીજા પુત્રની કરવાની જરૂર નથી. પોતાના ઘરમાં કોઈના લગ્ન હોય તો એ પ્રસંગે મુંડણ વિધિ થઈ શકે છે. મુંડણના જુઆર લગ્નના જુઆર પ્રમાણે કરવા. પ્રથમ મુંડણના જુઆર થાય. બીજે દિવસે લગ્નના જુઆર થાય.
નોંધ : જ્યાં ગોગરીનો ઉલ્લેખ છે ત્યાં શાસ્ત્ર પ્રમાણે થોડીક કરી બાકીનો ભાગ ચબુતરા ઉપર મોકલી શકાય.
૬. છેડાછેડી લગ્ન થયા બાદ નવ પરણેતરોએ માતાજીના સ્થાન ઉપર પગે લાગવા જવું પડે છે. છેડાછેડીમાં ૧/ ૨૫ બાંધવા – માતાજીને પગે લાગવું. ઘઉ કિલો ૧। શીરો અથવા લાપશી માટે. શ્રીફળ જોડી ૧, કળશમાં ૧ રૂપિયો નાખવો તથા પેરાના સવા અગીયાર રાખવા, ૭. માતાજીને પધરાવવા માટે : ગામ તુંબડીના ભાવિકો લગ્ન પ્રસંગે માતાજી પધરાવવા માટે સુખડી લઈ આવે છે. અને માતાજી પધરાવી જાય છે. લગ્ન વિધી બાદ માતાજી પાછા પધરાવતી વખતે માતાજીની એક કિલોની સુખડી (મીઠાઈ) થાય છે. સુખડી ન હોય તો રૂા. ૫૧.૦૦ અથવા યથા શક્તિએ રોકડા રાખવા.
પૂ. માતાજીને નમતા ભાવિકોએ સવારના સ્નાન આદિ પતાવીને ઘીનો દીવો કરી, ધૂપ અગરબત્તી કરી, પૂ. માતાજીનું શ્રીયલ માતાજી નમઃ નમ: નમઃ ત્રણ વખત બોલી સ્મરણ કરવું તથા સાંજે (સંધ્યા સમયે) ધૂપબત્તી અગરબત્તી કરવી. દર માસની સુદ ૨ (બીજ) ના પહેડી માતાજીને ધરાવીને સ્મરણ કરવું.
સૂચના : ભાવિકોના ઘરમાં અસ્વચ્છતા (અબેલાઈ) હોય તો પાંચ દિવસ સુધી ધૂપબત્તી કરવી નહીં. જન્મ મરણના પ્રસંગમાં ચાલીસ દિવસ સુધી ધૂપબત્તી ન થાય. તે બાદ નિત્ય નિયમ મુજબ કરવું.
લગ્ન પ્રસંગે અથવા શુભ પ્રસંગોએ માતાજીને પધરાવી નીચે