૧. દીવાળીના વાર્ષિક જુઆર ઃ દીવાળી, કારતક પૂનમના રોજ થઈ શકે.
જુઆર વિધિ
(૧)
૨।। કિલો ઘઉંના લાડવા. (૨) ૬૨૫ ગ્રામના તલપીંઢો. (લાડુ નંગ ૪ અને તલપીંઢો નંગ ૨, ગોત્રેજ દેવા પર ચડાવવા). પક્ષીઓને
જુવાર ૦।। કિલો નાખવી.
૨. નોરતા:
૩. પ્રથમ પુત્ર કે પુત્રીના ચીર આર
: (૧) ૫ કિલો ઘઉંની લાપસી. (૨)
૨ કિલોના તલપીંઢો. (૩) ૯ વાટી ગોળઘીની ભરવી (વાટીનું
પ્રમાણ ૫૦ ગ્રામ).
૪. બીજા પુત્રો કે પુત્રીઓના ચીર જુઆર : (૧) ર।।કિલો ઘઉંની લાપસી. (૨)૧ કિલોનો તલપીંટો, (૩)૯ વાટી ગોળઘીની ભરવી ૫.
મુંડન અને ચૌલ
: પ્રથમ પુત્ર વખતે ગોત્રેજ દેવોની ઘરમાં સ્થાપના કરવી. દેવ બે રાત જાગે, ગાત્રેજ દેવોની સ્થાપના કરતી વખતે આ કિલો ઘઉંની લાપસી કરવી. બીજે દિવસે (૧)
૨ કિલો ઘઉંની લાપસી. (૨) ૨।। કિલોનો તલપીંઢો (૩) ૯ વાટી ગોળઘીની ભરવી,
(૪)
૧૬ નિયાણી બહેનોને જમાડવી.
૫. મુંડનનું પ્રમાણ : (૧)
૭૨ કિલો ઘઉંની ગોળપાપડી. (૨) ૨ કિલોનો તલપીંઢો. પછીના પુત્રોના મુંડનના દિવસે (૧)
૨ કિલોની લાપસી.(૨) ૧ કિલોનો તલપીંઢો. (૩) ૯ વાટી ગોળઘીની ભરવી. (૪)૧૬નિયાણી બહેનોને જમાડવી.
મુંડનનું પ્રમાણ ઃ ૧૬ કિલો ઘઉંની ગોળપાપડી.
૬. પ્રથમ પુત્ર – પુત્રીના લગ્નના જુઆર : ગોત્રજ દેવો બે રાત જાગે. (૧) ગોત્રેજ દેવોની સ્થાપના વખતે ૨।। કિલો ઘઉંની લાપસી. (૨)
બીજે દિવસે (૧)
૫ કિલો ઘઉંની લાપસી.(૨) ૨ કિલોનો તલપીંઢો. (૩) ૬ વાટી ગોળઘીની ભરવી. (૪)
૨ શ્રીફળ ચડાવવા. (૫) ૧૬
નિયાણી બહેનોને જમાડવી.
૭. લગ્નની છેડાછેડી છોડવાની વિધિ : માતાજીના સ્થાન ઉપર ખારેક કે કાંઈપણ પ્રસાદી ।। કિલો અને શ્રીફળ નંગ ૨ ચડાવવા તથા ધુપદીપમાં રૂા.
૧-૨૫ દાન આપવું.
૮. ગોત્રેજદેવોપાછા આપતી વખતે ઃ ૧ કિલો ભાર તથા રૂા.
બે રોકડા.